ખુશામતિયાઓ મનમાં મને કે શેઠ એમની ઉપર રૂપિયા વરસાવશે. પણ શેઠની પાસેથી પૈસા કઢાવવા બહુ જ કઠણ. ચાલો આજે ખુશામતિયાઓને લગતી એક નાની બોધ કથા મમળાવીએ.
એક શિયાળ એક સાંઢને જોઈને તેની સોબત કોઈ રીતે મૂકે નહિ. એ ચરતો ફરે, તો પેલું શિયાળ પણ તેની સાથે સાથે જાય. શિયાળે મનમાં ધારેલું કે પેલા સાંઢના વૃષણ-અંડકોષ જે ટિંગાય છે, એ ક્યારેક ને ક્યારેક ખરી પડવાના અને આપણને ખાવા મળવાના! એટલે પેલો સંઘ જયારે ઊંઘે, ત્યારે એ શિયાળ પણ તેની પાસે લંબાવીને ઊંઘીલે; અને જયારે ઊઠીને ચરતો ફરે, ત્યારે એ પણ પાછળ પાછળ ફર્યા કરે. કેટલાય દિવસો એ પ્રમાણે ગયા, પરંતુ અંડકોષ કંઈ પડ્યા નહિ. એટલે પછી અંતે એ નિરાશ થઈને ચાલ્યો ગયો! ખુશામતિયાઓની પણ એવી જ દશા થતી હોય છે જીવનમાં.
બોધ : જ્યારે જીવનમાંથી ખુશામતિયાઓ ચાલ્યાં જાય તો દુઃખી થવાની બદલે ખુશ થાજો. અથવા જો એને પહેલા ઓળખી જાવ તો પ્રભુનો આભાર માનજો કે તમે એને ઓળખી શક્યા.
-દૂર રહો, ખુશ રહો.
-ચેતન ઠકરાર
+919558767835
Categories: SELF / स्वयं, Sense stories / बोध कथाए