હોય હૈયે હોઠથી બોલાય ના.
ના ગમે એ શબ્દથી વિંધાય ના.
હાથ જોડો વાંક ના હો તો’ય પણ,
એ વગર અવસર બધા સચવાય ના.
ટાંકણાના મારને ખમવા પડે,
એ વગર પથ્થર કદી પૂજાય ના.
દઈ વચન મુખ ફેરવે નિષ્ઠુર થઇ,
શું હ્રદય એનું જરા કચવાય ના?
આંખથી વરસે અમીજળ મીઠડાં,
શું ભર્યુ મનમાં કશું સમજાય ના.
બાળમાનસ પર લખાયું ભારથી,
મોટપણથી પણ કદી ભૂંસાય ના.
છો મુસાફર આ સફરના ચાર દિ’,
શ્વાસ આ મઝધારમાં અટવાય ના.
-પાયલ ઉનડકટ
Categories: Payal Unadkat