સબંધ સ્નેહનો હોય ને કોઈ વ્યવહાર ન હોય, તેવું પણ બને,
મળ્યો હોય કોઈ રોગ, તેની સારવાર ન હોય, તેવું પણ બને.
શોધો કોઈ તિરાડ કે ઝાંકી મળે, બહારની અસલ દુનિયાની,
જે ઓરડામાં કેદ તમે, તેમાં કોઈ દ્વાર ન હોય, તેવું પણ બને.
સફળતાની દોડમાં ક્યાંક ગુમાવી ન દો, જે પોતીકા તમારા,
કે પહોંચો મંજીલ પર છતાંય ઘરબાર ન હોય, તેવું પણ બને.
-Dr. Akhtar Khatri
Categories: Dr. Akhtar Khatri, Poems / कविताए