એક દિવસ નારદજીને કોઈ એ પુછ્યું કે બીજા કોઈ દેવો નહીં અને શંકર ભગવાનને જ કેમ મહાદેવ કહેવામા આવે છે? અને ત્યારે નારદજીએ બહુ સુંદર જવાબ આપ્યો હતો..શંકર ભગવાન ભોળા નાથ છે, જલ્દી પ્રશન્ન થઈ જાય છે.
જે પોતાના કંઠ માં નીલવર્ણું હળહળતું વીષ લઈ ને બેઠા છે,
જેની માથે સાક્ષાત ગંગાજી બિરાજે છે,
જે પોતે તો પૂજાય પરંતુ તેના પત્ની પાર્વતી પણ પૂજાય,
તેમના પત્ની તો પૂજાય પરંતુ તેમના બાળકો ગણેશ અને કાર્તિકેય પણ પૂજાય,
તેના બાળકો તો પૂજાય તેની વહુઓ રિદ્ધિ સિદ્ધિ પણ પૂજાય,
તેની વહુઓ તો પૂજાય તેના પૌત્રો લાભ અને શુભ પણ પૂજાય,
તેના પૌત્રો તો પૂજાય તેનું વાહન નંદી પોઠિયો પણ પૂજાય,
તેનું વાહન તો પૂજાય તેનું શસ્ત્ર ત્રિશુલ પણ પૂજાય,
તેનું વાહન તો પૂજાય તેના ઘરેણાં એટલેકે નાગ દેવતા પણ પૂજાય,
બીજા કોઈ દેવના પુત્રો, વહુઓ કે પૌત્રો પૂજાતા નથી,
અને આમ જેનું સર્વત્ર પૂજાય તેવા દેવ ને મહાદેવ કહેવાય…
જય ભોલેનાથ…..
Categories: SELF / स्वयं